Placeholder canvas

હવે સિરામિક માલના પરિવહનની ચિંતામાંથી મળશે મુક્તિ : જય સોમનાથ ટ્રાન્સપોર્ટરનો શુભારંભ

ઓલ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટ સર્વિસ : મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના ખૂણે ખુણા સુધીની ડેઇલી સર્વિસ ઉપલબ્ધ

મોરબી : હવે મોરબીના સિરામિક ઉદ્યોગો, ટ્રેડરો કે ડેપોએ માલના પરિવહનની કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. કારણકે શહેરમાં જય સોમનાથ ટ્રાન્સપોર્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. જે ખાસ સિરામિકના માલ માટે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર સર્વિસ પુરી પાડે છે.

સિરામિકના હબ એવા મોરબી જિલ્લામાં સિરામિકના માલનું પરિવહન સરળતાથી થઈ શકે તેમજ ઉદ્યોગકારો કે ટ્રેડરોને પરિવહનની શ્રેષ્ઠ સર્વિસ મળી રહે તે માટે સામાકાંઠે લાલપર રોડ ઉપર શક્તિ ચેમ્બર પાસે માણેક ચેમ્બરમાં જય સોમનાથ ટ્રાન્સપોર્ટ નામના સોપાનની શરૂઆત કરવામાં આવી છે. અહીંથી દેશના કોઈ પણ રાજ્યમાં માલ પહોચાડી આપવામાં આવશે.

વધુમાં કર્ણાટક અને મહારાષ્ટ્રની અહીં ડેઇલી ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ છે. આ બન્ને રાજ્યના કોઈ પણ ખૂણે સિરામિકનો માલ પહોંચાડી આપવામાં આવશે. ઓલ ઈન્ડિયા માટે ટ્રક તેમજ ટ્રેઈલર ૨૫, ૩૧, ૩૫ અને ૪૨ ટન સુધીના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવશે. જય સોમનાથ ટ્રાન્સપોર્ટની બીજી બ્રાન્ચ વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકા ખાતે કાર્યરત કરવામાં આવી છે. વધુ વિગત માટે હરદેવસિંહ ઝાલા મો.નં. 9978490799 અથવા રાહુલભાઈ મો.નં. 9033335132 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આ સમાચારને શેર કરો