Placeholder canvas

સિંધાવદર PHC દ્રારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી.

વાંકાનેર: આજ રોજ સિંધાવદર મદની સ્કૂલ ખાતે રાષ્ટ્રિય કૃમી નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ક્રુમી વિશે આરોગ્ય શિક્ષણ આપેલ જેમા કૃમીથી મુક્તિ અને બાળકોને શક્તિ વીશે સમજણ આપવામાં આવી હતી.

આ પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહેલ સીધાવદરના પૂર્વ સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરા (IMP) ના હસ્તે કૃમિનાશક ગોળીનું બાળકોમાં વિતરણ કરવા આવ્યું હતું. તેમજ આ પ્રોગ્રામમાં આચાર્ય જરીનાબેન શેરસીયા, સી.એચ.ઓ. જુનેદભાઇ કડીવાર, એફ એચ. ડબલ્યુ રૂબીયાબેન માથકીયા, એમ.પી.એચ.ડબલ્યુ તોફીકભાઇ વકાલીયા, પી.એચ.સી. સીધાવદર સ્ટાફ તથા આશાબેન હાજર રહયા હતા.

આ સમાચારને શેર કરો