Placeholder canvas

સીંધાવદર: ગાળો બોલવાની બાબતે બે પરિવારો વચ્ચે મારામારી…

વાંકાનેરના સીંધાવદર ગામે ગાળો બોલવાના પ્રશ્ને બે પરિવારો વચ્ચે લોખંડના પાઇપ, લાકડી અને ધોકા વડે અથડામણ થઈ હતી. બન્ને પરિવારના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. આ બનાવ બાદ બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા કેતનભાઇ રતીલાલ ચાવડા (ઉ.વ. ૨૩) એ સીંધાવદર ગામે રહેતા આરોપીઓ ભગવાનજીભાઇ કિશોરભાઇ મકવાણા, જતીનભાઇ કિશોરભાઇ મકવાણા, સુજલભાઇ દિનેશભાઇ મકવાણા, લલીતભાઇ જેઠાભાઇ મકવાણા, રવીભાઇ કિશોરભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૧ ના રોજ એક આરોપી બજારમાં ગાળો બોલતો હોય જેને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેઓ અન્ય આરોપીઓને બોલાવી તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી લાકડી વડે હાથ પગ માથામાં તથા ચહેરા પર નાક પર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમાચારને શેર કરો