Placeholder canvas

મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ રોજુ રાખી એકતાનો સંદેશ આપ્યો

(by આરીફ દિવાન)
મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રશ્નોને વાચા આપી મિલન સ્વભાવના અને જાણીતા પત્રકાર એવા સુરેશભાઈ ગોસ્વામી ફૂલછાબ અખબારના પત્રકાર છે તેને આજરોજ તારીખ 30 3 2023 ના રોજ રામનવમી મહોત્સવ નિમિત્તે મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન મુબારક મહિનામાં સાતમું રોજ રાખીને હિન્દુ મુસ્લિમ સમાજની એકતા ભાઈચાર સાથે એકતા નો સંદેશ આપ્યો છે.

અહીં નોંધનીય છે કે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી સર્વ ધર્મ સમાન માનનાર છે, તેનું ઉદાહરણ સ્વરૂપે દર ગુરુવારે સબકા માલિક એક સાઈ બાબા ના વર્ત રાખી રહ્યા છે એવા પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીએ જોગાનું જોગ રામનવમી નિમિત્તે રામની ભક્તિ ભાવે પૂજાપાઠ પ્રાર્થના કરી રમજાનનું સાતમું રોજુ રાખી સાથોસાથ સાઈબાબાનું વર્ત પણ રહ્યા છે. તેઓએ સર્વે સમાજ માટે એકતાના સંદેશ આપ્યો છે. પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી સર્વે સમાજના સમુહ લગ્ન તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ માં પણ પોતાની યથાશક્તિ પ્રમાણે સહભાગી બની રહ્યા છે જેથી સમગ્ર મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા મોરબીના સિનિયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો