વાંકાનેર: પ્રાંત અધિકારી અને હોસ્પિટલના સ્ટાફે શાહબાવાની દરગાહએ ચાદર ચડાવી.
વાંકાનેર: હજરત શાહબાવાની દરગાહ પર વાંકાનેર પ્રાંત અધિકારી અને હોસ્પિટલના સતાફે ચાદર ચઢાવી ને વાંકાનેરની શાંતિ,, સલામતી, કોમી એકતા અને વિકાસ માટે દુઆ ગુજારી હતી.
ગઈકાલે હજરત શાહબાબાનો ઉર્ષ શાનો શોકત સાથે ઉજવાયો હતો, આ ઉર્ષમાં શાહબાવાના માનનારા,ચાહકો હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. ગઈકાલે વાંકાનેરમાં શાહબાવાની દરગાહ પર કોમી એકતાના લાજવાબ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં મેડિકલ ઓફિસર ડૉ. નસીરુદ્દીન માણસિયા અને ડો. મહેઝબિન માણસિયા, આરોગ્ય સમિતિના સભ્ય ઋષિરાજસિંહ ઝાલા, આરોગ્ય મિત્ર ઈલમુદિન દેકાવડિયા, સટાફ બ્રધર મોઇન બાદી, ઇન્ચાર્જ ડાયાલિસિસ ટેકનિશિયન આસિફભાઇ માથકિયા અને સબીરભાઈ બાદી, સ્ટાફ નર્સ મીનાજબેન શેરસીયા, લેબ ટેક્નિશ્યન યાકુબભાઈ બાદી. અને તેમની સાથે વાંકાનેરના પ્રાંત અધિકારી શેરસિયાએ શાહબાવાની દરગાહમાં ચાદર ચડાવીને સલામ પેઢીને વાંકાનેરની શાંતિ, સલામતી, કોમી એકતા અને વિકાસ માટે દુવા ગુજારી હતી.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…