ટપાલ વિભાગ દ્વારા આઝાદીના અમૃત વર્ષે મહિલાઓ માટે આકર્ષક વ્યાજદરની યોજના
ભારત સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા આઝાદીના અમૃત વર્ષે મહિલાઓને આર્થિક રૂપે સક્ષમ અને સશક્ત કરતી આકર્ષક વ્યાજ દર ની યોજના મહિલા સન્માન બચત પત્રનો કેમ્પ વાંકાનેર પોસ્ટ ઓફિસમાં તેમજ વાંકાનેર પોસ્ટની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં આગામી તારીખ ૨૩-૦૫-૨૩ થી ૨૫-૦૫-૨૩ સુધી રાખવામાં આવેલ છે અને સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે આ યોજના હેઠળ ૭.૫ % ના દરે ઉચ્ચતમ વ્યાજ ની ચુકવણી કરવામાં આવશે.
આ યોજના હેઠળ વધુ માં વધુ Rs.2.00.000 /= નું રોકાણ કરી શકાશે Rs.1000/= ગુણાંક માં વધુ માં વધુ એક મહિલા Rs.2,00,000/= રોકાણ કરી શકશે ખાતું ખોલવા માટે આજે જ વાંકાનેર પોસ્ટ ઓફિસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ નજીક ની બ્રાન્ચ પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરવો…. ખાતું ખોલાવવા માટે પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને આધારકાર્ડ, પાનકાર્ડ ની ઝેરોક્ષ નકલ સાથે રાખવી તેમ એક અખબારી યાદીમાં માં વાંકાનેર ના પોસ્ટ માસ્તર ભુપત ભાઈ કારાવાડીયા સાહેબ ની અખબારી યાદીમાં જણાવ્યું છે