માળીયા: ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો
મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ રહી છે ત્યારે માળીયાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાનનો બેહિષ્કાર કર્યો છે.ગ્રામ પંચાયતમાં આ વિસ્તારનો સમાવેશ કર્યો ન હોય અને પાણી પ્રશ્ને સ્થાનિક લોકોએ પેટા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. આથી તંત્ર અને રાજકીય પક્ષોએ સ્થાનિક લોકોને મતદાન કરવા માટે મનાવવાના પ્રયાસો આદર્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
મોરબી અને માળીયા વિધાનસભા બેઠકની આજે પેટા ચૂંટણીમાં માળીયા તાલુકાના ન્યુ નવલખી વિસ્તારના લોકોએ મતદાન કરવાનો બહિષ્કાર કરી દીધો છે. આ અંગે રિટનીગ ઓફિસર ઝાલાને જાણ થતાં તેમણે માળીયા મામલતદાર ડી.સી.પરમારને જાણ કરીને યોગ્ય તપાસ કરવાની સૂચના આપી હતી. આથી માળીયા મામલતદારે ટીડીઓને માળીયાના ન્યુ નવલખી વિસ્તારમાં મોકલ્યા છે. આ બાબતે માળીયાના મામલતદારે જણાવ્યું હતું કે, ન્યુ નવલખી વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા અને આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં સમાવેશ ન કરતા એટલે સ્થાનિક લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
આથી સમગ્ર તંત્ર અને રાજકીય પક્ષો એ વિસ્તારના લોકોને મતદાન કરવા માટે મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. ન્યુ નવલખી વિસ્તારમાં ટીડીઓ સહિતની ટિમ પહોંચીને સ્થાનિક લોકોને મનાવવાના પ્રયાસો કરી રહી છે. આ વિસ્તારમાં આશરે 400 થી વધુ મતદારો છે. આ લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ થઈ પડી છે
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)