વાંકાનેર બેઠક પર હવે 13 મુરતિયા મેદાનમાં રહ્યા…
વાંકાનેર: હવે ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામતો જાય છે વાંકાનેરમાં સૌપ્રથમ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આવી ગયા અને આવતીકાલે વાંકાનેરમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આવી રહ્યા છે.
આજે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લો ટાઈમ ત્રણ વાગ્યા સુધીનો હતો. આજે ત્રણ વાગ્યા પહેલા 2 ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જ્યારે ગઈકાલે પણ બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આમ હવે ફોર્મ ચકાસણી બાદ છેલ્લે રહેલ કુલ ૧૭ ઉમેદવારમાં ચાર ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા હવે 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કુલ 26 ફોર્મ ભરાયા હતા, જેમાંથી ફોર્મ ચકાસણી બાદ કુલ ૧૭ ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી આજે ફોર્મ ભરત ખેંચવા નીની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે કુલ 13 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. આમ હવે ચૂંટણીના દિવસે evmમાં આ 13 ઉમેદવારોના નામ અને નિશાન જોવા મળશે.ત્યારે જોવાનું એ રહે છે કે હવે આ 13 ઉમેદવારમાંથી 67 વાંકાનેર કુવાડવાના મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે…