Placeholder canvas

આજે 14 ડીસેમ્બર એટલે “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ”

 પ્રતિ ક્ષણ ઉર્જાનાં રક્ષણ થકી જ શક્ય “ઉર્જા સંરક્ષણ”

વિશ્વની વધતી જતી જનસંખ્યાની સાથે ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. સામાન્ય જીવનમાં આપણે ઘણા બધા ઊર્જા સ્રોતોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વીજળી. વીજળી સામાન્ય જનજીવનની જરૂરિયાત છે. વીજળી વગરનું જીવન આજના લોકો માટે શક્ય નથી. આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ પડે કે એવી એક પણ ક્ષણ નથી કે જ્યારે આપણે વીજળીનો પ્રયોગ ન કરતા હોઈએ. સીધી કે આડકતરી રીતે લોકોને હવે સતત એના સંપર્કમાં રેહવું જ પડે છે.

✅ વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. જ્યાં ત્યાં લાઇટ અને પંખા ચાલુ હોય ત્યાં બંધ કરી દેવા અને ઈલેક્ટ્રીસીટી ઓછી વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.

✅ લાકડાનો ઉપયોગ ભારતમાં ઇંધણ તરીકે કરવામાં આવે છે. ગામડામાં મોટા ભાગના લોકો ખોરાક રાંધવા માટે પણ લાકડાનો ઉપયોગ કરે છે. જો એલપીજીનો ઉપયોગ ખોરાક રાંધવા માટે કરવામાં આવે તો લાકડાનો બચાવ થઈ શકે છે.

✅ હંમેશા આઈએસઆઈ સ્ટેમ્પ્ડ પાવર ટૂલ્સ વાળા વીજળી સાધનોનો ઉપયોગ કરવો.

✅ સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્મિભૂત ઇંધણનો બચાવ કરી શકીએ છીએ. સુર્યકુકરથી ભોજન બનાવી શકીએ છીએ. સોલાર બેટરી દ્વારા વીજળીનો પણ બચાવ કરી શકીએ છીએ.

✅ બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરી શકાય છે.

✅ પાણીનો વધુ પડતો વેડફાટ ન કરતા જરૂર પડે ત્યાં જ પાણીનો ઉપયોગ કરવો. -મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો