skip to content

ઝૂલતો પુલ તૂટ્યાના ૧૬૩ દિવસ બાદ મોરબી નગરપાલિકા સુપરસીડ..!!

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ દેશના વડાપ્રધાન તાત્કાલિક મોરબી દોડી આવ્યા હતા તો હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું જોકે ઘણો સમય વીત્યા બાદ આજે દુર્ઘટનાના ૧૬૩ માં દિવસે નગરપાલિકા સુપરસીડ કર્યાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિત જવાબ માંગ્યો હતો જોકે નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ ૫૨ સદસ્ય જવાબ આપવાથી સતત બચતા જોવા મળ્યા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા

જોકે આખરે સરકારે કડક કાર્યવાહી કરી છે અને મોરબી નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નગરપાલિકા સુપરસીડ કરી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરો