Placeholder canvas

લીફ્ટ ઈરીગેશન વાળા વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટેના વીજ કનેક્શન આપવાની માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને માંગ કરી છે કે કેનાલમાંથી લીપ કરીને પાણી લેવા માટે ખેડૂતોને વીજુનું જોડાણ તાત્કાલિક આપવામાં આવે.

તેવોએ વધુમાં ખેડૂતો માટે માંગણી કરી છે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલ ડેમોની કેનાલ દ્વારા જે પહેલા ગ્રેવિટીથી સિચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. જેની જગ્યા એ હાલમાં ઘણી કેનાલોને લીફ્ટ સિંચાઈ માટે ફેરવવામાં આવેલ છે. જેના કારણે હાલમાં ખેડૂતોને મોંઘા ભાવનું ડીઝલ વાપરીને પોતાની ખેતી માટે લીફ્ટ ઈરીગેશન કરવું પડી રહ્યું છે. જે પહેલા પોતાના ખેતરમાં મફતમાં પાણી આવતું હતું તેની જગ્યા એ હવે ખુબ જ મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે.

આની સામે જો કોઈ ખેડૂતો ખેતી માટેનું ઇલેક્ટ્રિક કનેકશન માંગે છે. તો તેની પાસે કુવો અથવા બોર કરાવવાની શરત મુકવામાં આવે છે. જયારે પાણી કેનાલનું લેવાનું હોય તો કુવો કે બોર નો આગ્રહ શા માટે? તો અમારી માંગણી છે કે ગુજરાત રાજ્યમાં જ્યાં પણ કેનાલમાંથી લીફ્ટ ઈરીગેશન થઇ રહ્યું છે ત્યાં દરેક ખેડૂતોને તાત્કાલિક સિંચાઈ માટેનું ઇલેક્ટ્રિક કનેક્શન આપવામાં આવે અને તે પણ ૨૪ કલાક પાવર રહે તેવું કારણકે કેનાલમાં તો પાણી ૨૪ કલાક ચાલતું હોય છે. તો અમારી માંગણી મુજબ તાત્કાલિક ઇલેક્ટ્રિક કનેક્શન આપવા માટેનો નિર્ણય લઈને તેની જાહેરાત તથા ઓર્ડરો કરવા વિનતી.

આ સમાચારને શેર કરો