Placeholder canvas

વાંકાનેરમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા.

વાંકાનેર: ગઈકાલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા ખાતે અખિલ ભારતીય કોળી સમાજના (ગુજરાત રાજ્ય)ના મહિલા અધ્યક્ષ જિજ્ઞાસાબેન મેર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જન્મદિવસની ઉજવણીમાં સમાજને, રાજ્યને લાભ થાય એવા સામાજિક કાર્ય કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે….
• ગાયત્રી શક્તિપીઠ ગૌશાળા ખાતે ઘાસચારાનું વિતરણ
• મચ્છુ કાંઠા વૃદ્ધાશ્રમમાં ભોજન કાર્યક્રમ
• સીવીલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ કીટ વિતરણ
• માંધાતા અને વેલનાથ મંદિરે વૃક્ષારોપણ
વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા.

અંતમાં જિજ્ઞાસાબેન મેર અને કોળી સમાજ દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો