Placeholder canvas

જેતપુર: ગૌશાળામાં ૧૧ સિંહ ત્રાટકયા ૧૦ ગાયોનું મારણ કર્યું

છેલ્લા કેટલાક સમયથી રાજકોટની સરહદો ઉપર સિંહ આંટાફેરા કરી રહ્યા હોવાના અહેવાલો બાદ જેતપુરની ભાગોળે પણ ૧૧ સિંહો આવી પહોંચ્યા હોવાનું અને ૧૦ જેટલા મારણ કર્યા હોવાનું બહાર આવતાં માલધારીઓ અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના જેતલસર, ડેડરવા પછી આવતાં આરબટિંબડીની સીમમાં આવેલ ગૌશાળામાં ત્રાટકતા સિંહોએ ૧૦ જેટલી ગાયોનું મારણ કર્યું હતું જેને પગલે ગ્રામજનોએ વનતંત્રને જાણ કરતા આરએફઓ સહિતની ટીમ ગૌશાળાએ દોડી આવી હતી અને સિંહને જીવના જોખમે ત્યાંથી ભગાડયા હતા. સિંહોએ ૧૦ જેટલી ગાયોનું મારણ કર્યુ હતું જો કે, વનવિભાગની ટીમ અને ગ્રામજનોની સતર્કતાથી ગૌશાળાની ૪૦ જેટલી ગાયોને બચાવી લેવામાં આવી હતી. મૃત ગાયોને દફન વિધિ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. સિંહોના આ મોટા મારણના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

આ સમાચારને શેર કરો