Placeholder canvas

વાંકાનેર: પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનાર થયો જેલ હવાલે…

વાંકાનેર: લક્ષ્મીપરા દરગાહની સામે રહેતા વેપારીને ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવની ગંભીરતાથી લઈને વાંકાનેર સીટી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે.

આ ઘટનાને મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા, દરગાહ સામે રહેતા અને વેપાર કરતાં સરફરાઝભાઈ મહમદભાઇ ભોરણીયા (ઉ.વ. ૩૫) નામના વેપારી પાસે આરોપી મોહસીન સીકંદરભાઈ શાહમદાર(ઉ.વ. ૨૩, રહે. હાલ કુંભારપરા, વાંકાનેર)એ ફોન કરી પાંચ લાખની ખંડણી માંગી જો પૈસા નહીં આપવામાં આપે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

આ બનાવને ગંભીરતાથી લઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી અન્ય અસામાજીક તત્વો માટે ચેતવણી આપી દીધી છે.

આ કામગીરીમાં વાંકાનેર સીટી P.I. એન. એ. વસાવા, એ.એસ.આઈ‌. હિરાભાઈ મઠીયા, હેડ કો. યશપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, કો. સામંતભાઈ છુછીયા, જગદીશભાઈ ગાબુ તથા લોકરક્ષક ધર્મરાજભાઈ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

આ સમાચારને શેર કરો