Placeholder canvas

ટંકારા: હડમતિયા ગામના તલાટી કમ મંત્રીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રી મનીષાબેન ગજેરાની બદલી થતાં તેમની જગ્યાએ અંબારામભાઈ દેત્રોજાને ચાર્જ સોંપવામાં આવ્યો

હડમતીયા ગામમાં નોકરી કરતા મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હતા ત્યારે અચાનક બદલી થતાં હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ તેમને મોઢું મીઠું કરાવી અને ગિફ્ટ આપી તેમને વિદાય કરવામાં આવ્યા હતા તેમના પતિ પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યો, હાજર રહ્યા હતા. મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હોવાથી હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચાયતના સદસ્યોએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ગ્રામ પંચાયત સદસ્યોશ્રીઓ, શિક્ષકો હાજર રહી નવા તલાટી કમ મંત્રી અંબાલાલભાઈ દેત્રોજાને આવકાર્ય હતા

આ સમાચારને શેર કરો