Placeholder canvas

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડતા રાજકોટના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર : આજકાલ રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત ઘટી રહયા છે તેટલીજ નહિ પણ તેમાં સતત વધારો પણ થતો રહ્યો છે. મોટી ઉંમરના તો ઠીક પણ નાની વયનો લોકો પણ હાર્ટએટેકનો શિકાર બની રહ્યો છે. આવા જ એક કિસ્સામા વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડવા આવેલા રાજકોટના યુવાનને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજયુ છે.

આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ગઈકાલે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના ભાવનગર રોડ ઉપર થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઈ કરમશીભાઇ મેવાડા ઉ.38 નામનો યુવાન ડાક વગાડવા માટે ગુંદાખડા ગામે આવ્યો હતો અને માતાજીના માંડવામાં ડાક વગાડતી વખતે તેઓને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો