Placeholder canvas

એસટી વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટર અને મિકેનિકની ભરતી કરાશે, ટૂક સમયમાં નોટિફિકેશન બહાર પડશે

રાજ્યમાં એસટીમાં ડ્રાઈવર અને કંડકટર બનવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી વિભાગમાં ડ્રાઈવર અને કંડકટરની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત એસ.ટી વિભાગ મિકેનિકની પણ ભરતી કરશે. આ માટેનું નોટિફિકેશન થોડાક દિવસોમાં જ બહાર પાડવામાં આવશે. 

ગૃહ રાજ્યમંત્રી ટ્વિટ કરી માહિતી આપી

રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ ભરતી અંગેની માહિતી આપી હતી. આ વર્ષે એસ.ટીમાં 2100 બસ ડ્રાઈવર અને 1300 જેટલી કંડકટરની ભરતી કરવામાં આવશે.  આ ઉપરાંત મિકેનિકની પણ ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ગુજરાત સરકારે એસટી વિભાગ ઉપરાંત અન્ય વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવોસમાં અંદાજે 6 હજાર જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે. 

આ સમાચારને શેર કરો