વાંકાનેર: એસ.એમ.પી.હાઈસ્કૂલમાં અને ટી.એન્ડ ટી.માં પ્રજાસત્તાક દિવસને ઉજવણી
વાંકાનેર:આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એસ.એમ.પી. હાઈસ્કૂલ – સિંધાવદર ખાતે શકીલ પીરઝાદા (પુર્વ ચેરમેન માર્કેટ યાર્ડ – વાંકાનેર) ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ટી એન્ડ ટી માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય
મોટાભાગે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી સ્કૂલો અને સરકારી ઓફિસોમાં કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વાંકાનેરમાં ખેડૂતો માટે ખેતીમાં ઉપયોગમાં આવતા સાધનોના વ્યવસાય સાથે સંકળાયેલ ટી એન્ડ ટી, મોનાલી ચેમ્બર, ને.હાઇવે, વાંકાનેર ખાતે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી રહ્યું છે. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પણ ટી એન્ડ ટી માં મહંમદ શેરસીયાના હસ્તે ધ્વજવંદન કરીને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી
લોકશાળા ચંદ્રપુર ખાતે મીરસાહેબના હસ્તે ધ્વજવંદન કરાયું.
આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોહંમદી લોકશાળા હાઈસ્કૂલ – ચંદ્રપુર ખાતે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.