skip to content

ચોટીલા: જીનીંગ ફેકટરીમાં આગ:અઢી કલાકે કાબુમાં આવી, કરોડોનું નુકશાન.

ચોટીલા થાન જતા રોડ ઉપરની એક જીનીંગ ફેકટરીમાં કોઇ કારણોસર આગ લાગ્યાની બનાવ બનતા દોડધામ મચી ગઈ હતી, ચોટીલા અને સુરેન્દ્રનગર ફાયટર તેમજ જીનીંગ મીલનાં સાધનો વડે આગ બુઝાવવામાં આવી હતી. થાનગઢ રોડ ઉપર આવેલ સિધ્ધનાથ જીનીંગમા કોઇ અગમ્ય કારણોસર બપોર બાદ આગ લાગી હતી.

કામદારોને સલામત કરી ફેક્ટરી સંચાલકોએ જીનીગમાં રહેલ ફાયર પ્લાન્ટ દ્વારા પાણીનો મારો શરૂ કરી ફાયર વિભાગને જાણ કરતા ચોટીલા પાલિકા ફાયર ટીમ દોડી ગયેલ હતી. બપોર બાદ સ્ટોરેજ વિભાગમાં લાગેલી આગને બુઝાવતા અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે કોઇ જાનહાની થઈ નથી.

આગને કારણે જીનીંગ મીલને મોટી રકમની નુકશાની થયાનો અંદાજ છે પરંતુ કેટલો ગાસડીઓ નો જથ્થો સ્ટોરેજમાં હતો તે કોઇ ચોક્કસ આકડો નથી પરંતુ રકમ કરોડોમા થતી હોવાનું કહેવાય છે.

આ સમાચારને શેર કરો