Placeholder canvas

રોગ મુજબ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરવાથી થશે ચમત્કારી ફાયદા…

દેશી ઘી ખાવાથી ઘણા લોકો વિચારે છે કે ચરબી વધે છે અને વજન વધે છે. તેની સાથે જ હૃદયથી જોડાયેલી કેટલીકત બીમારીઓ પણ થાય છે. જોકે, ઘણા લોકો તેને ખાવાના સ્વાદ વધારના હેતુંથી ક્યારેક ખાઇ લેશે. પરંતુ આ દરેક એક વ્હેમ છે. વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે અને રોગનું ચોક્કસ નિદાન કરે છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે તેમજ કોઈપણ પ્રકારની એલર્જી પણ દૂર કરી શકે છે. ગાયના ઘીને નાકમાં નાખવાથી લકવા રોગનું નિદાન થાય છે. 20 થી 25 ગ્રામ ગાયના ઘી સાથે સાકર મિશ્ર કરીને લેવાથી દારૂ, ભાંગ કે અન્ય કોઈપણ નશા છોડાવી શકાય છે. ગાયના ઘીને નાકમાં નાખવાથી કાનના પડદા ઓપરેશન વગર ઠીક કરી શકે છે. ગાયના ઘીને નાકમાં નાખવાથી દિમાગ તરોતાજા રહે છે. કોમામાં રહેલી વ્યક્તિના નાકમાં ઘી નાખવાથી તેની ચેતના પાછી આવે છે. હાથ અને પગમાં જો બળતરા થતી હોય તો ગાયનું ઘી પગના તળિયા પર ઘસવું અસરકારક બને છે. જો એડકી સતત આવતી હોય તો અડધી ચમચી ગાયનું ઘી લેવાથી એડકી બંધ થઈ જશે.ગાયનું ઘી દરરોજ લેવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા નિવારી શકે છે. ગાયનું ઘી શક્તિ અને વીર્ય વધારે છે તેમજ શારીરિક અને માનસિક શક્તિમાં પણ વધારો કરે છે. ગાયના ઘીને બાળકોની છાતી અને પીઠ પર માલિશ કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. જો વધારે અશક્તિ લગતી હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવાથી રાહત મળે છે. ગાયના ઘી દ્વારા શરીરમાં કેન્સરના કોષ જન્મતા અટકે છે, આ ઉપરાંત શરીરમાં કેન્સરને ફેલાતું અટકાવે છે.

જે વ્યક્તિને હ્રદય રોગની તકલીફ હોય અને તેલવાળું ખાવાની મનાઈ હોય એ વ્યક્તિ દ્વારા ગાયના ઘીના સેવનથી હ્રદય મજબૂત થાય છે. દેશી ગાયના સેવનથી આંતરડા અને સ્તનના કેન્સરથી બચી શકાય છે. ગાયનું ઘી,છાલ સાથે પીસેલ કાળા ચણા તેમજ દળેલી ખાંડને મિશ્ર કરીને લાડુ બનાવી,દરરોજ સવારે એકદમ ચાવીને તેમજ હુંફાળું ગરમ દૂધ લેવાથી સ્ત્રી રોગમાં રાહત મળે છે તેમજ પુરુષોનું શરીર બળવાન બને છે. ગાયનું ઘી વજન સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે,ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.

સવારના સમયમાં ગાયનું ઘી નાકમાં નાખવાથી માઈગ્રેનની સમસ્યા દૂર કરી શકાય છે. માથું દુખવાને કારણે શરીરમાં ગરમી થતી હોય છે,ગાય ના ઘીને પગના તળિયે ઘસવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. ઠંડા પાણીમાં ગાયનું ઘી નાંખીને ઘીને પાણીથી અલગ કરવું, આ પ્રક્રિયા લગભગ 100 વાર કરવી.  ત્યારબાદ તેમાં થોડું કપૂર નાખવું. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતું ઘી એક ઔષધિ બનશે જે ચામડીના રોગ માટે અતિ અસરકારક છે. આ મિશ્રણ સોરાઇસીસ માટે પણ અસરકારક છે. જો ગાયના ઘીની થોડીક બૂંદ દિવસ દરમ્યાન નાકમાં નાખવામાં આવે તો શરીરના ત્રિદોષ એટલે કે વાત્ત,પિત્ત અને કફને નિયંત્રણમાં લાવી શકાય છે.

 -મિતલ ખેતાણી

આ સમાચારને શેર કરો