Placeholder canvas

કાલે વાંકાનેરમાં વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર…

શિક્ષણ એ વ્યક્તિ ઘડતર અને વિકાસ માટેનો પાયો છે હમણાં જ ધોરણ 10 અને 12 નું પરિણામ આવ્યું છે ત્યારે આગળ ઉચ્ચ અભ્યાસ માટે શું કરવું ? ક્યાં જવું? વગેરે માર્ગદર્શન ખૂબ જ જરૂરી હોય આવતી કાલે તારીખ 28,મે, 2023 ના રોજ મોડર્ન સ્કૂલ, રાજાવડલા, વાંકાનેર રોડ ઉપર કારકિર્દી માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરેલું છે.

આ સેમિનારમાં દરેક ફેકલ્ટીના નિષ્ણાંતો હાજર રહી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપશે તો દરેક વિદ્યાર્થીઓ માટે કાલનો દિવસ ખૂબ જ અગત્યનો છે જરૂર પધારશો. સેમિનાર સવારે 9 વાગ્યે શરૂ થઈ જશે માટે સમયસર હાજર રહી કારકિર્દી તરફ આગળ વધવા અમારું આહવાન છે

આ સમાચારને શેર કરો