BPL કાર્ડધારકો માટે અગત્યની જાહેરાત રૂ. 2 લાખની મર્યાદામાં બેન્ક લોન મળી શકે છે.
વાંકાનેર : વાંકાનેર નગર સેવા સદન અંતર્ગત માળીયા અને વાંકાનેર નાગપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા BPL કાર્ડધારકો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191023-WA0012-1024x662.jpg)
આ જાહેરાત અનુસાર કેન્દ્ર સરકાર પુરસ્કૃત અને રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત ‘દિન દયાલ અંત્યોદય યોજના અંતર્ગત – રાજ્ય શહેરી આજીવિકા મિશન’ અંતર્ગત માળીયા તથા વાંકાનેર નગરપાલિકા ખાતે શહેરી ગરીબો કે જેમની પાસે નગરપાલિકાનું બી.પી.એલ. કાર્ડ અથવા બી.પી.એલ. રેશન કાર્ડ અથવા માં કાર્ડ હોય, તેઓ આ યોજના અંતર્ગત સખી મંડળ બનાવવા, ધંધા-રોજગાર માટે લોન મેળવવી તેમજ જુદા-જુદા ટ્રેડમાં તાલીમ મેળવવા જેવા લાભો લઇ શકે છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/11/IMG-20191102-WA0027-1024x1024.jpg)
બેન્ક મારફત અપાવવામાં આવતી લોનમાં ધંધો-વ્યવસાય કરવા માંગતા લાભાર્થીઓને રૂ. 2 લાખની મર્યાદામાં બેન્ક લોન અપાવવામાં આવે છે. આ અંગે લાભ લેવા માંગતા શહેરી બી.પી.એલ. કુટુંબોએ માળીયા નગરપાલિકા તથા વાંકાનેર નગરપાલિકા ખાતે અરજી કરવા કે વધુ માહિતી મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/11/20190918_091128.gif)
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)