Placeholder canvas

વાંકાનેર બીઆરસી આયોજિત બાળ-વિજ્ઞાન મેળો યોજાયો

વાંકાનેર: આજરોજ GCERT પ્રેરિત રાજકોટ ડાયટ માર્ગદર્શિત અને વાંકાનેર બીઆરસી દ્વારા આયોજિત બાળ-વિજ્ઞાન મેળો યોજાયો. જેની થીમ સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ ડેપ્યુટી કલેકટર, મામલતદાર, ,તાલુકા પંચાયત પ્રમુખ, અને વિવિધ સંસ્થા અને સંગઠનના આગેવાનો અને ખાસ NRI અતિથિઓ ઊપસ્થિત રહ્યા.

આજના વિશેષ કાર્યક્રમનું શુભારંભ માં પ્રસંગે “લાઈફ સંસ્થા” દ્વારા “બ્લડ ડોનેશનનું સુંદર આયોજન કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું. કુલ 33 શાળાઓની અલગ અલગ વિભાગની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકાની અનેક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં તમામ વિભાગમાંથી દરેક વિભાગમાં પ્રથમ નંબર ને આગળ જિલ્લા કક્ષાના આ પ્રદર્શન માં પણ સફળતા મેળવવા માટે શુભકામના પાઠવામાં આવી. આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ જય વિજ્ઞાનના નારા સાથે કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો