Placeholder canvas

મોરબી: 6 માર્ચે ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા”

મોરબી ખાતે આગામી તારીખ 6 માર્ચે ને સોમવારના બપોરે 2 થી 5-30 કલાકે પટેલ સમાજવાડી, શનાળા(મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા”નું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય માટે આપણે સજાગ થવાની ખાસ જરૂર છે ત્યારે આ માટે આ કથાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના આંગણે આયુર્વેદ કથાનું સૌપ્રથમ આયોજન છે. મોરબી શહેર તથા આજુબાજુના ગામોની જનતા આ જાહેર કાર્યક્રમનો વધુમાં વધું લાભ લે તે માટે અપીલ કરાઈ છે. વધુમાં સ્કૂલ સંચાલકો તેમની કોલેજના વિદ્યાર્થીઓને કથામાં લાવી નવી પેઢીના ઘડતરમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે. દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો હાજરી આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો