Placeholder canvas

વાંકાનેર: સ્ટેચ્યુ પાસે જુનુ મકાન પાડતા ઇજાગ્રસ્ત બીજા મજુરનું પણ થયું મોત…

વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ પાસેની જૂની પીજીવીસીએલ કચેરીવાળું મકાન પાડવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાણી હતી, જેમાં બિલ્ડીંગ પાડવાના કામકાજમાં બે મજૂરો કાળમાટ નીચે દટાઈ જતાં એકનું મોત થયું હતું, જ્યારે એક ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે પ્રથમ વાંકાનેર વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળેલ માહિત મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં ભાડે પીજીવીસીએલ કચેરી કાર્યરત હતી,તે મકાન ખાલી પડ્યું હતું, જે મકાન પાડવાની કામગીરી ચાલી રહી હોય એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મજૂરો બિલ્ડીંગના કાળમાટ હેઠળ દટાઇ જતાં અરજણભાઈ રાજેશભાઈ બાલસીંગ (ઉ.વ. 18, રહે. મામલતદાર ઓફીસ પાછળ, વાંકાનેર) નામના મજુરનું મોત થયું હતું. અન્ય એક મોહનસિંહ ડામોર નામના મજુરને પણ ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક વાંકાનેર હોસ્પિટલે ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આમ આ ઘટનામાં બેન મોત થયા છે.

બિન સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ આ મકાન વેચી દેવામાં આવ્યું છે અને લેનાર પાર્ટી નવું બાંધકામ કરવા માટે આ મકાન પાડી રહી હતી એ દરમિયાન આ અકસ્માત થયો હતો

આ સમાચારને શેર કરો