Placeholder canvas

Breaking News: રાજકોટ: માલિયાસણ પાસે ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, કારનો કચ્ચરઘાણ

રાજકોટ- અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક આજે સવારે એક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતમાં બે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો છે અને લોકોના ટોળા ઉમટી પડ્યા છે. કાર પડીકુ વળી જતા લોકોએ પતરા ખેચીને અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ભયંકર અકસ્માતથી અરેરાટીભર્યા દૃશ્યો જોવા મળ્યા છે.

મળેલી માહિતી મુજબ રાજકોટના મનહરપ્લોટ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ વશરામભાઇ સગપરિયા (ઉં.વ.45) અને અન્ય બે મૃતદહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માલિયાસણ ગામ નજીક આજે વહેલી સવારે GJ-03-2032 નંબરની રાજકોટ પાસીંગની અને બીજી GJ-13-AR-7353 નંબરની સુરેન્દ્રનગર પાસીંગની કાર સાથે ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં બન્ને કાર પડીકુ વળી જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ છે. ભારે જામ થઈ ગયેલા ટ્રાફિકને કિલર કરવાની તેમજ મૃતદેહને હોસ્પિટલે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/BsZbWVaH8zsEUWHfckFctR

આ સમાચારને શેર કરો