Placeholder canvas

વાંકાનેર: કાર અને બાઈક વચ્ચે થયો અકસ્માત, એકનું મોત….

વાંકાનેર: હસનપર ઓવરબ્રિજથી આગળ જતાં સર્વિસ રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં કામ પરથી પરત ફરતાં પિતા-પુત્રના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પિતાનું ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું, જ્યારે પુત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં મૃતકની પત્નીએ કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર પાસેના હસનપર ઓવરબ્રિજથી આગળ જતાં સર્વિસ રોડ પર જ્યોતિ કારખાના પાસેથી બાઇક પર પસાર થતાં કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૨, રહે. સિધ્ધાર્થનગર સોસાયટી, રેલ્વે સ્ટેશન રોડ, વાંકાનેર) અને તેના પુત્ર સુરેશ કમલેશભાઈ ભટ્ટી (ઉ.વ. ૧૩)ના બાઇકને સામેથી આવતી એક ઓમની કાર નં. GJ 05 RL 5375 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કમલેશભાઈને માથા તથા છાતી સહિત શરીરે તેમજ પુત્ર સુરેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટુંકી સારવાર બાદ ઈજાગ્રસ્ત કમલેશભાઈનું મોત થયું હતું, આ બનાવમાં મૃતકના પત્ની જયશ્રીબેન કમલેશભાઈ ભટ્ટીએ ગંભીર બેદરકારી દાખવી અકસ્માત સર્જી ફરાર થઈ જનાર ઓમની કારના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

આ સમાચારને શેર કરો