Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઇવે પર ઢુંવા નજીક અજાણ્યા વાહન હડફેટે શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : 27-નેશનલ હાઇવે પર ઢુંવા ઓવરબ્રિજ નજીક પગપાળા જતા મખન રંધીરા આદિવાસી નામના શ્રમિકને તા.22ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો