skip to content

વાંકાનેર:મચ્છુ-1માં આવેલ નવા નીરના વધામણાં કરતા સાંસદ કેસરીદેવસિંહજી

વાંકાનેર : વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમ-1 ડેમ સતત પાંચ વર્ષથી ઓવરફ્લો થતાં આજરોજ નવનિયુક્ત રાજ્યસભા સાંસદ વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જળાશયમાં ધડી, મોળ્યો, ચુંદડી, શ્રીફળ અને ફૂલથી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર ભાજપના આગેવાનો તેમજ વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો