Placeholder canvas

ટંકારા:સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ મળી.

ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ લાશને સળગાવી હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ અંદાજે 35 થી 40 વર્ષની મહિલાની લાશ કોથળામાં નાખેલી હાલતમાં સજ્જનપર હડમતીયા રોડ ઉપર આવેલ ખેતરની બાજુમાં હોવાની જાણ ટંકારા પોલીસને કરતા થાણા અમલદાર એમ જે ધાંધલ બીટ જમાદાર સિદ્દીકીભાઈ, બિપીનભાઈ સહિતના દોડી ગયા હતા અને લાશ ને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા બાદ ફોરેન્સિક પિએમ માટે ખસેડવાની જરૂર જણાતા સરકારી ડોક્ટર દ્વારા જાણ કરી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા દ્વારા નોધ લઈ ટંકારા પોલીસે રાજકોટ ફોરેન્સિક પિએમ માટે ખસેડી આ મહીલા ની ઓળખ મેળવવા તથા શું બનાવ બન્યો છે અને આની હત્યા કરવામાં આવી છે કે કેમ? એ અંગે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

અમારા અંગત સૂત્રે જણાવ્યા પ્રમાણે આ લાશ અંદાજે ત્રણ ચાર દિવસ પહેલાની હોય અને સળગાવી દેવાની પણ કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ધટના ઉપરથી પડદો મહિલાની ઓળખ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદજ થઈ શકશે.

આ સમાચારને શેર કરો