Placeholder canvas

વાંકાનેરના બે ખેલાડીની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયાન દ્વારા યોજાનાર ‘તાજાવાલ ટ્રોફી’માં પસંદગી.

ટુક સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા યોજાનાર ઇન્ટર ડીસ્ટ્રીકટ “તાજાવાલ ટ્રોફી” ટુર્નામેન્ટમાં મોરબી અંડર-16 અને અન્ડર 19 માં રમી ચૂકેલા વાંકાનેરના યુવાન મનજીત રાજેશભાઈ ખુમખારિયા તથા વાંકાનેર તાલુકાના કણકોટના રહેવાસી યુવાન આદિલરઝા યુસુફભાઇ બાદીનું બીજી વખત સિનિયર ટીમમાં સિલેકશન થયું છે. બંને ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે સારું પરફોર્મન્સ આપી હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. અંડરમાં રમાતી “તાજાવાલ ટ્રોફી” ટુર્નામેન્ટમાં બંને યુવાનોનું સિલેકશન થતા તેઓ આ ટ્રોફી માટે ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાનમાં ઉતરશે.

તાજેતરમાં મોરબીમાં યોજાયેલી U-16, U-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેરના આ બન્ને ખેલાડી આદિલ અને મંજિતની પસંદગી કારવમાં આવી છે. મેં 2019 માં યોજાયેલી ક્રિલેટ ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કરી ને આદિલ અમે મંજિત એ સિલેકશન કરાવ્યુ હતું. ફરી પાછું બીજી વાર સિલેકશન કરવી ને વાંકાનેરનું નામ રોશન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં 20 ખેલાડીની પસંદગી થઈ હતી જેમાં 2 ખેલાડી વાંકાનેરના આદિલ અને મંજિત છે. આદિલ ફાસ્ટ બોલર છે અને મંજિત ઑફ સ્પીનર છે. ઘણી મહેનત અને પરીશ્રમ કરીને આદિલ અને મંજિત આગળ વધી રહ્યા છે.

કપ્તાન ન્યૂઝ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવીને અગાળના મેચ માટે સારા પરફોર્મન્સ માટેલ શુભેચ્છા પાઠવે છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો