મોરબી-માળીયા બેઠક ઉપરથી 182 વિદ્યાર્થીઓ ચૂંટણી લડશે..!!!
મોરબી : GPSCની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે મોરબી આવી પહોંચી હતી. અહીં આ સમિતિ દ્વારા જો સોમવાર સુધીમાં અન્યાય દૂર કરવામાં નહિ આવે તો 182 વિદ્યાર્થીઓ ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200930-WA0003-1024x682.jpg)
મોરબીમાં આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. GPSCની પરીક્ષામાં અન્યાય થયાની રાવ સાથે આ સમિતિ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સાથે બેઠક પણ કરી હતી. બાદમાં આ સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે અન્યાય દૂર કરવા સરકારને તેઓ આગામી સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપે છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200703-WA0006-1024x589-1-1-1-1.jpg)
જો આ અન્યાય દૂર નહિ થાય તો સોમવારે 124 વિદ્યાર્થીઓ રૂબરૂ અને 58 વિદ્યાર્થીઓ ઓનલાઇન મળી કુલ 182 વિદ્યાર્થીઓ મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી તેઓને મત ન આપવાની અપીલ કરશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)