Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજ દ્વારા ૧૦ કિલોમીટર રનનું આયોજન કરાયું.

આજ રોજ દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેર દ્વારા આઝાદી કા અમૃત મોહોત્સવ, ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ૧૦ કિલો મીટર રનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રન બીજા સોમવાર દાદાનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. તે દિવસે વાંકાનેરથી જડેશ્વર મહાદેવ મંદિર સુધી ૧૩ વિદ્યાર્થીઓ અને ૧ પ્રોફેસર એમ કુલ ૧૪ વ્યક્તિએ આ ૧૦ કિલો મીટર રનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

આ રન પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ ડૉ. વાય. એ. ચાવડા સાહેબ દ્વારા ખુબજ સરસ રીતે આયોજન પૂર્ણ કરવામાં આવેલ હતું.

આ સમાચારને શેર કરો