Placeholder canvas

વાંકાનેર: આર્થિક સંકડામણ અને ઘર કંકાસથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ પડતું મુક્યુ…

વાંકાનેર: માટેલ ગામના વતની અને હાલ ઢુવા ગામે મંદિર ખાતે રહેતા યુવાને આર્થિક સંકડામણ અને ઘર કંકાસથી કંટાળી ઢુવા નજીકથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલમાં ઢુવા ગામે ખોડિયાર માતાજીના મંદિરે રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા (ઉ.વ. 38)નામના યુવાને ગઇકાલે આર્થિક સંકળામણ અને ઘર કંકાસથી કંટાળી જઈ ઢુવા પાસે આવેલા અમૃત સીરામીક કારખાના પાછળથી પસાર થતા રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ સમાચારને શેર કરો