Placeholder canvas

વાંકાનેર: હશનપરના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ

વાંકાનેર: હશનપર ગામમાં ઈકબાલભાઇ ગુલામરસુલ બુખારી (ઉંમર વર્ષ 54) રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા અને સિવિલમાં દાખલ થયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયેલ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના hasanpar ગામના ઈકબાલભાઈ બુખારી કેવો ને તકલીફ થતાં પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યાં તેઓને ડોક્ટરે દાખલ કર્યા હતા અને સેમ્પલ લઇને લેબમાં મોકલ્યું હતું તેમનો રિપોર્ટ આવ્યા પહેલા તેઓનું મૃત્યુ થયું હતું પરંતુ આજે સાંજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

હશનપરમાં ઇકબાલ બુખારીના મૃત્યુ બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર તેમના ઘરે દોડી ગયું હતું અને કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોન તથા સર્વેની કામગીરી હાથ ધરી છે. આ સાથે વાંકાનેરમાં કોરોના નો મૃત્યુ આંક 5 પર અને મોરબી જિલ્લાનો મૃત્યુ આંક 18 પહોંચી ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો