Placeholder canvas

મોરબી: અનુસૂચિત જાતિ સમાજના યુવકનો હત્યારો ઝડપાઇ જતા પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરી

હત્યારો રમેશ ઝડપાઇ જતા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પડતું મુકાયું

મોરબી : ત્રાજપર ચોકડી પાસે યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાવામાં આવ્યો હતો. ગતરાત્રીના હત્યારો રમેશ ભરવાડ ઝડપાઇ જતા આજે અજિતભાઈના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારીને અંતિમવિધિ કરવામાં આવી હતી.

મોરબીના વણકરવાસમાં રહેતા અજિતભાઈ પરમાર નામના યુવાનની નજીવી બાબતે હત્યા કરાયા બાદ તેમના પરિવારજનો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા હત્યારો ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરીને તંત્રને હત્યારાને પકડી પાડવા અલ્ટીમેટમ આપી રસ્તારોક આંદોલન અને ચક્કાજામ કરવા ચીમકી આપવામાં આવી હતી. જ્યારે પોલીસે ગત મોડી રાત્રે હત્યારા રમેશ મંગા ભરવાડ રહે. ત્રાજપર મોરબી વાળાને ઝડપી લીધો હતો.

આમ, પોલીસે હત્યારાને ઝડપી લેતા આજે અજિતભાઈના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારી લઈ અંતિમવિધિ કરી હતી.

આ સમાચારને શેર કરો