Placeholder canvas

મોરબી: ત્રાજપર ચોકડી મર્ડર કેસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી : ગતરાત્રીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવાના બનાવમાં સારવારમાં રહેલ મૃતક યુવાનનો મિત્રન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભાનમાં આવી જતા તેના નિવેદનને આધારે પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધી છે.

ગઈકાલે રાત્રે થયેલા હુમલા અને હત્યાના બનાવ બાદ મૃતકની સાથે રહેલા તેના મિત્ર 23 વર્ષીય હુસેન ફકરુદ્દીનભાઈ વોરા આજે સારવાર દરમ્યાન ભાનમાં આવી જતા મોરબી બી.ડીવીઝન પોલીસે હુમલા બાદ થયેલી સમગ્ર હત્યાકાંડનો ઘટનાક્રમ હુસેન પાસેથી મેળવ્યો હતો. તેમના જણાવ્યાનુંસાર પોતે તથા તેનો મિત્ર મૃતક અજીત પરમારને અજાણ્યા શખ્સો સાથે બાળકને હેરાન ન કરવા બાબતે ઠપકો આપવા જતા અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈને પહેલા તો મારપીટ કરી હતી. ઢીંકાપાટુનો મૂંઢમાર મારતા મારતા વધુ પડતા ઉશ્કેરાયેલા એક શખ્સે મિત્ર અજિતને પેઢુંના ભાગે છરી મારી દીધી હતી. બનાવ બાદ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા.

ક્યાં બાળકને હેરાન ન કરવા બાબતે ઠપકો આપવા ગયા હતા એનો ખુલાસો ઇજાગ્રસ્ત હુસેન હાલમાં કર્યો ન હતો. હજુ સંપૂર્ણ બ્યાન આપે તેવી સ્થિતિમાં યુવક ન હોય વધુ પૂછપરછ બાદમાં કરાશે.

બીજી તરફ પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા લાશને કોલ્ડરૂમમાં ખસેડવામાં આવી છે. એસ.પી. તથા ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મૃતક અજીત પરમારના પરિજનોને સમજાવવાની મથામણ કર્યા બાદ પણ પરિજનો જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા મક્કમ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચારને શેર કરો