Placeholder canvas

અમદાવાદમાં કોરોનાનો ઉથલો : નવા 7 કેસ નોંધાયા…

આજે કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોઁધાયા હતા. આજે સામે આવેલા તમામે તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. કાલુપુર માતાની પોળના 4 મેમ્બર્સ એક જ ફેમિલીના અને એક જ વિસ્તારના છે. અત્યારસુધીમાં 8 લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યામાં વધારો થયો છે. ગણતરીના કલાકોમાં પોઝિટીવ સંખ્યાનો આંક સદી પૂરી કરી દેશે. આજે બાપુનગર અને કાલુપુર વિસ્તારના કેસો બહાર આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના 95 કેસ

અમદાવાદ:38
સુરત:12
રાજકોટ: 10
વડોદરા:9
ગાંધીનગર:11
ભાવનગર :7
કચ્છ:1
મહેસાણા -1
ગીરસોમનાથ -2
પોરબંદર -3
પંચમહાલ-1
આજે કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોઁધાયા

આજે 43 વેન્ટીલેટર્સ રાજકોટમા મોકલવવામાં આવ્યા છે. જયંતી રવિ કહે છે કે, ગરમ પાણી પીવાથી આ રોગથી બચી શકાય છે. માનનિય પ્રધાનમંત્રીશ્રીએ પણ કોટનનું માસ્ક પહેરવાની વાત કરી છે. આજે પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે. એક 7 વર્ષની બાળકી કોરોના પોઝિટીવ મળતાં સૌથી મોટી ચિંતાનો વિષય છે. અમદાવાદમાં કુલ કેસ 38એ પહોંચ્યા છે. સરકારે એવું જાહેર કર્યું કે, સ્વસ્થ લોકો માસ્ક ન પહેરે, પરંતુ હવે સરકાર જ કહે છે કે, માસ્ક પહેરેલો રાખો. સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે.

આ સમાચારને શેર કરો