Placeholder canvas

તીથવા PHC દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ.

આજરોજ ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવા સાહેબ ની સૂચના અને પ્રા.આ.કે. તીથવા ના મેડિકલ ઓફિસર ડો. દિશીતાબેન ડઢાણીયા, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા અને ઉવેસ સીપાઈ ના માર્ગદર્શન દ્વારા તીથવા હાઈસ્કૂલ ના બાળકોને મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવી ને માહિતી આપવા માં આવી હતી તેમજ મેલેરિયા અટકાયત માટે રેલીનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરી ને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તીથવા હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ ડો ડી એન પરબતાણી સાહેબ, અને ભરતભાઈ ગોપાણી સાહેબ એ મદદ કરી હતી

મેલેરીયા મુક્તિના લક્ષ્ય સુધી પહોંચીએ મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે. મેલેરિયાના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે.

👉 મેલેરીયા રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો.

👉 ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.

👉 નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.

👉 મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.

👉 સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે

આ સમાચારને શેર કરો