Placeholder canvas

‘મારી વાતો કરે છે’ કહી દીકરાએ બાપને ડિકાપાટું માર્યા…


રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતાં મગનભાઈ વશરામભાઈ આદ્રોજા (ઉ.વ.73) ગઈકાલે પોતાની ઘરે હતાં ત્યારે તેના પુત્ર લાલજીએ ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત વૃધ્ધે પોલીસને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે. એક આફ્રિકા રહે છે અને બીજો પુત્ર લાલજી તેમની સાથે રહે છે. ગઈકાલે આફ્રિકા રહેતાં પુત્રનો ફોન આવ્યો હતો જેની સાથે વાત કરતો હતો ત્યારે લાલજીએ ફોન ઝૂંટવી મારી વાતો કેમ કરો છો કહી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો