Placeholder canvas

સિંધાવદર PHC દ્વારા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મૂકવામાં આવી…

વાંકાનેર: મોરબી જિલ્લા મલેરિયા અધિકારી ડૉ.બાવરવાની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે ગામમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયો માં પોરાભક્ષક માછલીઓ મૂકવાની સૂચના આપેલ જેના અનુસંધાને THO ડૉ.શેરસીયા અને તાલુકા સુપરવાઈઝર વી.એચ.માથકિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ.તનવીર શેરસિયા દ્વારા MPHWની ટીમ બનાવવામાં આવી હતી.

આ ટીમ દ્વારા PHC હેઠળ આવતા ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા તેના પાણીના જળાશયો કે જેમાં પોરાનાશક દવા ના નાખી સકિયે કે નિયમિત સાફ કરવા મુશ્કેલ હોય જેવા કે વોકળા,કૂવા,નાની ખેત લાવડી,ભો ટાકા,વગેરે સોધિ તેમાં પોરભક્ષક માછલી ઓ મૂકવામાં આવી જેથી ગામમાં મચ્છરનો ઉપદ્રવના થાય અને મચછરજન્ય રોગચાળોના ૮ વકરે વધુમાં આ તકે PHC સુપરવાઈઝર પંડ્યા દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરેલ કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા સ્થળ જોવા મળે તો એમનો સંપર્ક કરી આ જુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના મલેરિયમુક્ત અભિયાન ને સાકાર કરી શકીએ.

આ સમાચારને શેર કરો