Placeholder canvas

વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી…

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ માં ના નવલા નોરતાની વિવિધ વિસ્તારો ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ ના સંચાલકો આયોજકો સાથે તારીખ 09-10-2023 ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અંતર્ગત બેઠક મળી હતી જેમાં પી.આઈ પીડી સોલંકી તેમજ પીએસઆઇ કે કે ચાનિયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ અને સર્વે નવરાત્રી મહોત્સવના આયોજકો વિવિધ વિસ્તારોના અગ્રણીઓ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

સરકારની ગ્રેડલાઇન્સ મુજબ પરિસ્થિતિને ધ્યાન રાખી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ફરજ ના ભાગે પોલીસ તંત્ર એલર્ટ રહી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દર વર્ષની જેમ શાંતિ પૂર્વક તહેવારોનો આનંદ ઉત્સવ સાથે માં ના નવલા નોરતાની પૂજા પાઠ પ્રાર્થના અર્ચના આરતી સાથે શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે શ્રદ્ધાપૂર્વક ધાર્મિક તહેવાર એવા નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ ઉજવી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી.

આ સમાચારને શેર કરો