skip to content

વાંકાનેર: પ્રતાપગઢ ગામના કોંગી અગ્રણી રસુલભાઈ કડીવારનું અવસાન

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના કોંગી અગ્રણી રસુલભાઈ કડીવારનું આજે અવસાન થયું છે.

રાજકોટ ડેરીના ડિરેક્ટર અને વાંકાનેર તાલુકા સંઘ અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ રસુલભાઈ કડીવારનું આજે અવસાન થયેલ છે. રસુલભાઈ કડીવારએ પૂર્વ ધારાસભ્ય જાવીદ પીરઝાદાની ખૂબ નજીક હતા અને તેઓ હંમેશા પીઝાદા પરિવાર અને કોંગ્રેસ સાથે રહ્યા છે આજે તેમના અવસાનથી વાંકાનેર કોંગ્રેસે એક આગેવાન ગુમાવ્યા છે.

આજે સાંજના સમયે રસુલભાઈ કડીવાર પગથિયા ઉપરથી પડી જતા તેઓને ઈજા થતા તેમને ગાડી મારફતે તાત્કાલિક સારવાર માટે વાંકાનેર ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા, ત્યાં ડોક્ટરે તપાસી અને તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમના પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ ખબર તાલુકા ભરમાં વાયુવેગે ફેલાઈ હતી, તાલુકામાં થતી ચર્ચા મુજબ રસુલભાઈને હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું છે. જ્યારે કપ્તાને તેમના પરિવારમાં સભ્યનો સંપર્ક કરતા તેઓએ પગથિયા ઉપરથી પડી જવાથી ઇજા થઈ હતી અને જેમાં તેનું અવસાન થયેલ છે તેવું જણાવેલ…

આ સમાચારને શેર કરો