મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના ઐતિહાસિક બિલ્ડીંગ હેરીટેજ સાઇટ જાહેર કરવાની માંગ

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના ઐતિહાસિક બિલ્ડીંગને હેરીટેજ સાઇટ જાહેર કરવાની સેતુબંધ ફાઉન્ડેશણ પ્રમુખ કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે.

મોરબીમાં આવેલી એન્જીનીયરીંગ કોલેજ સમગ્ર દેશની પ્રથમ દસ કોલેજો માંહેની એક છે. ૧૯૫૧ ની સાલ માં અહીં કોલેજ ચાલુ કરવા માટે તે સમયના મોરબી સ્ટેટના મહારાજએ પોતાના જુના મહેલના તમામ મકાનો દાનમાં આપેલા અને આમ એક વૈભવી અને એતિહાસિક મહેલના ઓરડામાં એન્જીનીયરીંગ કોલેજ ચાલુ કરાવેલ હતી.

આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે. અને તેમના કેટલાયે ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યો માં અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદાઓ પર સેવા આપેલ છે. અને હજુ પણ આ ક્રમ ચાલુ છે. આ કોલેજ માં અભ્યાસ કર્યા બાદ એમાં ઘણા લોકો વિદેશ માં પણ ઉચ્ચ હોદાઓ પર આજે પણ પોતાની સેવા આપી ને આ કોલેજ તેમજ ગુજરાત રાજ્ય તેમજ દેશ ને ગૌરવ અપાવી રહ્યા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી આવી ને પણ આ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓ એ પણ પોતાની કારકિર્દી બનાવેલ છે. હાલમાં પણ આ કોલેજ માં જુદા જુદા અભ્યાસ ક્રમો માં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા.

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજનું આ પેલેસ બિલ્ડીંગ એક અભૂતપૂર્વ અને આગવો ઇતિહાસ ધરાવે છે. આ પેલેસ વુડન ( લાકડાના ) સ્ટ્રક્ચરમાંથી બનેલ છે. જે ભારત માં એક યુનિક નજરાણું છે. એ જમાનામાં વિદેશ થી નિષ્ણાતોને બોલાવી તેઓના માર્ગદર્શન પ્રમાણે બનાવેલ આ મહેલ છે. જેને જાળવવું જરૂરી છે. મોરબીના મહારાજાની દીર્ઘ દ્રષ્ટિ અને શિક્ષણ પ્રત્યેની તેઓની ઉભાવનાનો આ જીવતો જાગતો નમુનો છે.

સ.ન.૧૯૫૧થી આ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલા દરેક એન્જીનીયરો માટે પોતાની કોલેજનું આ એક અવિસ્મરણીય સભારણું છે. એક યાત્રાધામ જેવું પવિત્ર સરસ્વતી મંદિર સમાન છે. માત્ર મોરબી જ નહી પણ ગુજરાત માટે પણ આં કોલેજ ગૌરવ સમાન છે.આપણું ગુજરાત દેશના તમામ ક્ષેત્ર આગળ છે. ત્યારે આવા અગત્ય ના મોન્યુમેન્ટ ની જાળવણી થાય તે અંત્યંત જરૂરી છે. તેવોએ વધુ જણાવ્યું છે કે આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલા દરેક વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે જોડાઇ શકે એવું એક ગ્રુપ બનાવેલ છે. હું પણ આ ગ્રુપ નો એક સદસ્ય છું. અમારી સંસ્થા વતી અમો આજે આપ શ્રી અને ગુજરાત સરકાર પાસે એક અપેક્ષ સહ નમ્ર નિવેદન રજુ કરીએ છીએ. કે આ વિરાસત ને હેરીટેજ જાહેર કરવા યોગ્ય કાર્યવાહી કરો તેવી વિનંતી.

મોરબીની એન્જિનિયરિંગ કોલેજની આ ઐતિહાસિક ઇમારતમાં જર્જરિત હાલતને કારણે હવે આ કોલેજના જુના ઓરડાઓમાં શૈક્ષણિક કાર્ય કરવામાં આવતું નથી. હવે ના સમયમાં આવું બિલ્ડીંગ ફરીવાર બનાવવું ખુબજ કઠીન છે. એટેલે આ કોલેજની ઇમારતો હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. આ કામો માટે અમારા માંહેના ધણા ઇજનેરો પોતાનાથી થતો ટેકનીકલ સહયોગ આપવા માટે પણ તૈયાર છે.

તેવોએ વધુમાં ગુજરાત સરકારને અપીલ કરી છે કે, મોરબીમાં અન્ય ઘણી જગ્યા અને વિરાસતને હેરીટેઈજ જાહેર કરેલ છે. ત્યારે આ કોલેજોની ઇમારતોને પણ હેરીટેજ સાઇટ જાહેર કરવામાં આવે. અને ઉપરોક્ત હકીકત જોતા આ ઇમારતોનું વહેલી તકે મરામત કામ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવા માટે વિનંતી સાથે માંગણી કરેલ છે.

આ સમાચારને શેર કરો