Placeholder canvas

19 વર્ષીય યુવતીએ 2 મહિના પહેલા લવ મેરેજ કર્યા ને 2 મહિના બાદ આપઘાત !!

રાજકોટ: લવ મેરેજ કર્યાના 2 મહિનામાં બાદ જ ઉપલેટાના ખીજડીયામાં 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મૃતક હિના વિક્રમભાઈ ગોયલ(આહીર) (ઉ.વ.19)એ પિતાની ઘરે જ ઝેરી દવા ગટગટાવી હતી. તેણીએ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના મયુર આહીર નામના પોતાની જ્ઞાતિના જ યુવાન સાથે પરિવારની જાણ બહાર કોર્ટ મેરેજ કર્યા હતા. હિના સાસરે ન જઈ પિતાના ઘરે જ રહેતી. બાદમાં છૂટું કરવું હોય પણ સામાવાળા ન માનતા હોય આ પગલું ભર્યાનો આરોપ છે.

ભાણવડ નજીક આવેલા કલ્યાણપુરના મયુર નામના જ્ઞાતિના જ યુવાન સાથે આંખ મળત 2 મહિના પહેલા બન્નેએ કોર્ટમાં મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ અંગે હિનાના પરિવારને જાણ નહોતી કારણ કે મેરેજ કર્યા બાદ હિના સાસરે ગઈ નહોતી પરંતુ પિતાના ઘરે ખાખીજાળીયા જ રહેતી હતી. જોકે થોડા સમયમાં જ પરિવારને આ અંગે જાણ થઈ ગઈ હતી. જે પછી કોઈ કારણ સર હિના આ લગ્ન રાખવા માંગતી નહોતી અને છૂટું કરવાની સામાવાળા યુવકને વાત કરી હતી,

પરંતુ સામાપક્ષે મેરેજ છૂટાં કરવા માંગતા ન હોય જેથી હીનાએ ગઈકાલે સાંજે 7 વાગ્યે પોતાના ઘરે જ કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અને આપઘાતના કારણની ખરાઈ કરવા વધુ તપાસ હાથ ધરી હતી. હિના બે બેન અને એક ભાઈમાં મોટી હતી. તેના પિતા વિક્રમભાઈ ખેતી કામ કરે છે. દીકરીના આવા પગલાંથી પરિવારમાં શોક છવાયો છે.

આ સમાચારને શેર કરો