વાંકાનેર: ભાયાતી જાંબુડિયામાં કારખાનામાં કામ કરતા મજુરે ગળોફાંસો ખાધો…
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં ખેતરમાં લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું હતું જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ભાયાતી જાંબુડિયા ગામે આયોટા સિરામિકમાં રહીને મજુરી કરતા વિનયકુમાર શિવપૂજનસિંહ કુર્મી (ઉ.વ.૨૨) નામના યુવાને ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર કમરે બાંધવાના બેલ્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબીની અવની ચોકડી પાસે રહેતા ભાવેશભાઈ ખોખાણીએ પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે