Placeholder canvas

મોરબી: ટ્રેન હડફેટે આઠેક ગાયો આવી જતા 8ના મોત, 2ને ઇજા..

મોરબી : મોરબીમાં પીપળીયા ચાર રસ્તા ઉપર દશેક ગાયોને ટ્રેન હડફેટે આવી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેમાં આઠેક ગાયોના મોત નિપજ્યા છે. જ્યારે બે ગાયો જીવતી હોય સેવાભાવી યુવાનોએ તાત્કાલિક આ ગાયોને યદુનંદન ગૌશાળાએ ખસેડી છે.

મળેલી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તા ઉપર ચોકડી પાસે ફાટક ઉપર દશેક ગાયો ઉભી હતી. અચાનક ટ્રેન પસાર થતા ટ્રેન હડફેટે તમામ ગાયો હવામાં ફંગોળાઈ હતી. આ બનાવમાં અંદાજે આઠ ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગાયો જીવતી હોય અહીંથી પસાર થતા સેવાભાવી યુવાનોએ આ ગાયોને સારવાર માટે યદુનંદન ગૌશાળા ખાતે મોકલી હતી. ઉપરાંત આ ગાયોએ ભારે મહેનતથી મૃતક તમામ ગાયોને રોડની એક્સાઈડ કર્યા હતા.

આ સમાચારને શેર કરો