મોરબી: વિઠ્ઠલનગરનાં કોરોના પોઝીટિવ દર્દીનું મોત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે શનાળા રોડ પર વિઠ્ઠલનગરમાં રહેતા 83 વર્ષના વૃદ્ધનું મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ શનાળા રોડ પરના વિઠ્ઠલનગરમાં રહેતા 83 વર્ષના વૃદ્ધ ભીમજીભાઈ મોહનભાઇ રાઠોડનું ગઈકાલે કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયું હતું. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં જ સાંજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
તેઓ 3 દિવાસથી મોરબી સિવિલમાં દાખલ હતા. અને તેમને હૃદય અને શ્વાસની બીમારી પણ હતી. જ્યારે આજે તેમના મૃત્યુ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મોરબી જિલ્લા કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો 6 થઈ ગયો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)