વાંકાનેર: આગામી તારીખ 28ના રોજ લુણસર તાલુકા શાળામાં રક્તદાન કેમ્પ
શાળાના આચાર્યો વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમને સન્માનવાનો તેમજ ડો. એચ એલ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/HAMVI-1024x1024-1.jpg)
આગામી તારીખ 28ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વાંકાનેર તાલુકાના લૂણસર ગામે તાલુકા શાળા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ શાળાના આચાર્ય દલાભાઈ વાઘેલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે, તેમને સન્માનવા તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના ભૂતપૂર્વ હેડ સ્વર્ગસ્થ ડો.એચ.એલ.ત્રિવદીને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191205-WA0005-1024x1024.jpg)
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના હેડ સ્વર્ગસ્થ ડૉ. એચ.એલ.ત્રિવદી વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં રહીને પ્રાથમિક અભ્યાસ કર્યો હોય અને તેઓને આ ગામથી ખૂબ લગાવ પણ હતો જેથી આ ગામના યુવકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવા સબબ તેમજ લૂણસર ગામના આચાર્યને વિદાય આપવા ના હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યુ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191214-WA0002-1024x1024.jpg)
આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને રતન કરવા માટે અપીલ કરવામાં આવી છે કેમકે રક્ત દાન એજ મહાદાન છે અને રકતદાન કરી અન્ય લોકોની જિંદગી બચાવી શકાય છે. આ માનવ જિંદગી બચાવવા માટેના સેવાકાર્યમાં મહાદાન કરવા માટે આગળ આવવા માટે આયોજકોએ અપીલ કરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/FACEBOOK-FRAME-UPVAN-1024x82-1.png)
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/20191224_073615-721x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)