Placeholder canvas

વાંકાનેરનું ગૌરવ : કિંડ્ઝલેન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ મેહુલ શાહને મળશે ભારત ગૌરવ રત્ન એવોર્ડ…

વાંકાનેર : વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ મેહુલ પરિમલભાઈ શાહની ભારત ગૌરવ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. તેમને સાયન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા ભારત સરકાર દ્વારા આગામી ૨જી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે આ એવોર્ડથી સન્માન કરવામાં આવશે.

આવું બહુમાન વાંકાનેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મેહુલ શાહને મળશે, મેહુલ શાહે વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. આ સમાચાર મળતા સમગ્ર ગુજરાતનું શૈક્ષણિક જગત અને વાંકાનેર ગૌરવ અનુભવીને મેહુલ શાહને તેમના મોબાઈલ નંબર પર અભિનંદન પાઠવી રહયા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ભારત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત થનાર મેહુલ શાહને ખૂબ ખૂબ અભિનંદન….

આ સમાચારને શેર કરો